ઈરાની સરકારી મીડિયાએ પુષ્ટિ કરી છે કે સોમવારે થયેલા એક ઇઝરાયેલી હવાઈ હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના ગુપ્તચર વિભાગના વડા મજીદ ખાદેમી માર્યા ગયા છે. ખાદેમી તે 25 લોકોમાં સામેલ હતા જેઓ સોમવારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં માર્યા ગયા હતા.
ઇઝરાયેલના રક્ષા મંત્રી ઇસરાયેલ કાત્સએ આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે તેઓ “આતંકવાદીઓના નેતાઓ”ને ચૂંટીને નિશાન બનાવી રહ્યા છે અને આ અભિયાન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઈરાનની સેન્ય આગેવાની સંપૂર્ણપણે કમજોર ન થઈ જાય.
યુદ્ધ શરૂ થયા પછી ઈરાને પોતાના અનેક ટોચના સુરક્ષા અધિકારીઓને ગુમાવ્યા છે, જેમાં સુરક્ષા વડા અલી લારીજાની અને ગાર્ડ્સના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુર પણ સામેલ છે.
તેમ છતાં, સુરક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે ઈરાનની વિકેન્દ્રિત કમાન્ડ સ્ટ્રક્ચરને કારણે વરિષ્ઠ અધિકારીઓના મોત છતાં પણ તે પોતાની સેન્ય કાર્યવાહીઓ અને હુમલાઓનું સંકલન ચાલુ રાખવામાં સક્ષમ છે. આ જ કારણે છે કે લીડરશિપને ભારે નુકસાન થવા છતાં પણ જમીની સ્તરે ઈરાનની આક્રમકતા ઘટી નથી.
જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ રવિવારે રાત્રે અને સોમવારે સવારે ઇઝરાયેલ તેમજ ખાડીના દેશો પર ડ્રોન અને મિસાઈલોનો વરસાદ વરસાવ્યો હતો. ઇઝરાયેલના હાઈફા શહેરમાં એક અપાર્ટમેન્ટ પર થયેલા ઈરાની મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે.
આ પણ વાંચો – અદાણી સમૂહ વિરુદ્ધ અપીલ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર
