Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ: કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગતા 15 વિદ્યાર્થીઓ ભડથું, ટેરેસનો દરવાજો બંધ હોવાથી સર્જાઈ કરૂણાંતિકા

gujaratex@gmail.com June 23, 2026
BABA (7)

લખનઉ : ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં સુરત અને રાજકોટની યાદ અપાવે તેવી એક અત્યંત દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. લખનઉના વ્યસ્ત એવા અલીગંજ વિસ્તારમાં આવેલા ઉષા મહેતા માર્ગ પરની ત્રણ માળની કોમર્શિયલ ઈમારતમાં ભયાનક આગ લાગતા ૧૫ નિર્દોષ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૪ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યુવાનોની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની આસપાસ હોવાથી પીડિત પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

એનિમેશન ક્લાસમાં લાગી આગ, બચવાના તમામ રસ્તાઓ હતા બંધ

અલીગંજ વિસ્તાર એ કોચિંગ સેન્ટર્સનું હબ ગણાય છે. આગ લાગી તે ત્રણ માળની ઈમારતમાં એનિમેશન કોચિંગ સેન્ટર ચાલતું હતું. વર્કિંગ ડે હોવાથી સેન્ટરમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હાજર હતી.

Join Our WhatsApp Group

કેવી રીતે લાગી આગ?: પ્રાથમિક અટકળો મુજબ એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી.

અજાણ વિદ્યાર્થીઓ: આગ જ્યારે વિકરાળ બની ત્યારે જ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓને તેની જાણ થઈ હતી, ત્યાં સુધીમાં આખું બિલ્ડિંગ ધુમાડાના ગોટેગોટાથી ઘેરાઈ ચૂક્યું હતું.

બંધ દરવાજાએ લીધા જીવ

બિલ્ડિંગ ચારેબાજુથી પેક હોવાથી બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નહોતો. જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ બાથરૂમમાં ભરાઈ ગયા હતા, તો કેટલાકે ટેરેસ તરફ દોટ મૂકી હતી. પરંતુ સૌથી મોટી બેદરકારી એ હતી કે ટેરેસ પર જવાની સીડીના દરવાજે તાળું મારેલું હતું, જેના કારણે તેઓ બહાર ન જઈ શક્યા અને આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા. કેટલાક યુવાનોએ બારીમાંથી કૂદવાનો પ્રયાસ પણ કર્યો હતો.

બિલ્ડિંગમાં ગેમઝોન અને પેટ ક્લિનિક પણ હતા

આ ઈમારતમાં માત્ર કોચિંગ ક્લાસ જ નહીં, પરંતુ સૌથી ઉપરના માળે ગેમ ઝોન અને સૌથી નીચે પેટ ક્લિનિક (પશુઓનું દવાખાનું) પણ ચાલતું હતું. રિપોર્ટ્સ મુજબ આ દુર્ઘટનામાં ક્લિનિકમાં રહેલા કેટલાક પ્રાણીઓનાં પણ મોત થયા છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના ૧૪ થી વધુ વાહનો કામે લગાડવા પડ્યા હતા અને મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.

સીએમ યોગીએ પ્રવાસ ટૂંકાવ્યો, તપાસના આદેશ

આ ગોઝારી ઘટના સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢના પ્રવાસે હતા. ઘટનાની ગંભીરતા જોતા તેઓ પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક લખનઉ પહોંચ્યા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સીએમ યોગીએ પીડિત પરિવારોને સાંત્વના આપતા આ સમગ્ર અગ્નિકાંડની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

વળતરની જાહેરાત

દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

કેન્દ્ર સરકાર: પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.

યુપી સરકાર: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્ય સરકારના ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. ૫ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની વધારાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો – CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: CMના વિસ્તારમાં દારૂ સાથે પસાર થવાની હિંમત ક્યાંથી આવી? રામોલના કુખ્યાત બૂટલેગર સલીમ તોતા અને અનિરુદ્ધ સિંહનું કનેક્શન?
Next: શિવસેના UBTમાં મોટું ભંગાણ: 6 લોકસભા સાંસદો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો ફટકો

Related News

BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
BABA (84)

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, CJI સૂર્યકાંતે કહ્યું- ‘અમારો સમય ન બગાડો’

gujaratex@gmail.com July 22, 2026
BABA (79)

ત્રિપુરા પોલીસમાં ખળભળાટ: DGP અનુરાગ ધનખડનું ઓફિસમાં જ શંકાસ્પદ મોત

gujaratex@gmail.com July 21, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • વાડ જ ચીભડાં ગળી ગઈ! કામ રાખનાર કોન્ટ્રાક્ટરે જ વેપારી બનીને પધરાવ્યા નકલી બિલો, પૂર્વઆયોજિત કાવતરામાં પંચાયતની ભૂમિકા કેટલી?
  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.