પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એલપીજી રિફિલની બુકિંગ ટાઈમલાઈનને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા નવા દાવાઓને ફગાવી દીધા છે.
મંત્રાલયે પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક સમાચારો અને સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવા કરવામાં આવ્યા છે કે, એલપીજી રિફિલ બુકિંગની નવી ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે. આ દાવાઓમાં કહેવામાં આવ્યું છે કે, પીએમયૂવાઈ ક્નેક્શન માટે 45 દિવસ, નોન-પીએમયૂવાઈ સિંગલ સિલેન્ડર ક્નેક્શન માટે 25 દિવસ અને નોન-પીએમયૂવાઈ ડબલ સિલેન્ડર ક્નેક્શન માટે 35 દિવસ. પરંતુ આવા કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી.

મંત્રાલયે આગળ જણાવ્યું કે, રિફિલ બુકિંગની જૂની ટાઈમલાઈન જ લાગું છે અને તે જ ચાલું રહેશે. શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ.
મંત્રાલયે કહ્યું કે, એલપીજી રિફિલની કારણ વગર અને ગભરાટમાં બુકિંગ કરશો નહીં. ફરીથી જણાવવામાં આવે છે કે દેશમાં પર્યાપપ્ત એલપીજી સ્ટોક ઉપલબ્ધ છે અને ચિંતાની કોઈ જ વાત નથી.
આ પણ વાંચો – લાયકાત વગરના ડોક્ટરોને રોકવા માટે સરકારનું મહત્ત્વનું પગલું : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા બિલ પાસ
