Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી : 2020થી 2024માં 1867 ભ્રષ્ટ અધિકારી-કર્મચારીને સજા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી : 2020થી 2024માં 1867 ભ્રષ્ટ અધિકારી-કર્મચારીને સજા

gujaratex@gmail.com March 27, 2026
BABA (32)

ગાંધીનગર : ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે તકેદારી આયોગ સતત સક્રિય છે. આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ 2020થી 2024 સુધીના પાંચ વર્ષમાં કુલ 1867 સરકારી અધિકારી અને કર્મચારીને ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપમાં વિવિધ સજા કરવામાં આવી છે. આમાં 2024માં સૌથી વધુ 486 અધિકારી-કર્મચારી સામે સજાના ઓર્ડર જાહેર થયા છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં 138 વર્ગ-1ના અધિકારીઓ સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 2020થી 2024ના સમયગાળામાં 246 અધિકારી-કર્મચારીનું પેન્શન રોકવાના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે.

તકેદારી આયોગ કેવી રીતે કામ કરે છે?

Join Our WhatsApp Group

ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ફરિયાદ મળ્યા પછી આયોગ તપાસ શરૂ કરે છે. તપાસ પૂર્ણ થયા પછી તે ફાઈનલ ઓર્ડર સાથે સરકારને ભલામણ કરે છે કે દોષિત અધિકારી અથવા કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. આ ભલામણોના આધારે સરકાર વિભાગીય કાર્યવાહી કરે છે.

2024ના આંકડા

આ વર્ષે કુલ 1382 અધિકારી-કર્મચારી સામે વિવિધ પ્રકારની ભલામણો કરવામાં આવી હતી.
678 જાહેર સેવકો સામે ભારે શિક્ષાની કાર્યવાહીની ભલામણ.
3 જાહેર સેવકો સામે પેન્શન કાપવાની ભલામણ.
29 જાહેર સેવકો સામે ફોજદારી કેસ (પ્રોસીક્યુશન) ચલાવવાની મંજૂરી.
54 કર્મચારી સામે હળવી શિક્ષાની ભલામણ.
30 કર્મચારી સામે વસૂલાત કરવાની ભલામણ.
588 કેસમાં આક્ષેપોમાં તથ્ય ન મળતાં તફતરે કરવાની ભલામણ કરવામાં આવી છે.

2020થી 2024 સુધીમાં સૌથી વધુ સજાના ઓર્ડર 2024માં જ થયા છે, જે દર્શાવે છે કે તકેદારી આયોગ અને સરકાર ભ્રષ્ટાચાર સામે વધુ સક્રિય બની રહ્યા છે. આ કાર્યવાહીથી સરકારી વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી વધવાની આશા છે.આ રિપોર્ટ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને મજબૂતી આપે છે અને સરકારી અધિકારીઓને ચેતવણી આપે છે કે ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો- જેલમાં 79 અને પોલીસ કસ્ટડીમાં 14 મોત : ગુજરાતમાં માનવ અધિકારના ઉલ્લંઘનના ચિંતાજનક આંકડા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: જેલમાં 79 અને પોલીસ કસ્ટડીમાં 14 મોત : ગુજરાતમાં માનવ અધિકારના ઉલ્લંઘનના ચિંતાજનક આંકડા
Next: દેશમાં બેરોજગારીનું આલમ : ગ્રેજ્યુએટ બેરોજગારી 40% સુધી પહોંચી, ભણેલા કરતાં અભણ વધુ કમાય છે

Related News

BABA - 2026-06-11T152938.433

ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-11T110618.765

સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન

gujaratex@gmail.com June 11, 2026
BABA - 2026-06-06T153224.909

ગુજરાત પોલીસને મળ્યા નવા બોસ: 1993 બેચના કડક IPS અધિકારી જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP

gujaratex@gmail.com June 6, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
  • મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
  • ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ
  • કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.