વાવ (બનાસકાંઠા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. સવારે સાણંદમાં અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ સીધા ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પહોંચ્યા. અહીં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત રૂપે 19,806.9 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
આ પ્રસંગે વડાપ્રધાને ઉત્તર ગુજરાતના અતીતને યાદ કરતાં કહ્યું કે, દાયકાઓ પહેલાં આ વિસ્તારને માત્ર સૂકા અને અભાવગ્રસ્ત પ્રદેશ તરીકે જોવામાં આવતો હતો. અહીંના લોકોને પાણી મેળવવા માટે દૂર-દૂર સુધીની યાત્રા કરવી પડતી હતી અને તત્કાલીન કોંગ્રેસ સરકારે આ વિસ્તારને સતત અવગણ્યો હતો. પરંતુ આજે આ જ વિસ્તાર વિકાસના નવા આયામો સાથે આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાને વર્ષ 2010ની યાદ તાજી કરતાં જણાવ્યું કે, “મુખ્યમંત્રી તરીકે મેં ચારણકા (સારણપુર) ખાતે દેશના પ્રથમ સોલર પાર્કનો પાયો નાખ્યો હતો. આ મલ્ટી-ટેક્નોલોજી પાર્ક હતો જેણે ભારતમાં સોલર ઊર્જાની ક્રાંતિની શરૂઆત કરી.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ખાવડા જેવા વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક સાથે ગુજરાત ટૂંક સમયમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં વિશ્વનું અગ્રેસર કેન્દ્ર બની જશે.
Speaking at the launch of various initiatives in Vav-Tharad, Gujarat. These will improve connectivity and support socio-economic development of the region. https://t.co/f6dCMtRh2i
— Narendra Modi (@narendramodi) March 31, 2026
વાવ, થરાદ અને આખા બનાસકાંઠા વિસ્તાર પ્રત્યે પોતાનો ઊંડો લગાવ દર્શાવતાં વડાપ્રધાને કહ્યું કે, ગામડે-ગામડે પાકા રસ્તાઓ, હાઈ-સ્પીડ હાઈવે અને વંદે ભારત જેવી અત્યાધુનિક ટ્રેનોની સુવિધા પહોંચાડવાનું કામ મિશન મોડમાં ચાલી રહ્યું છે. આજે અહીં લગભગ 20 હજાર કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે આ વિસ્તારની સમગ્ર તસવીર જ બદલી નાખશે અને સ્થાનિક લોકોના જીવનમાં નવી ગતિ અને સમૃદ્ધિ લાવશે.
It is indeed a proud moment for India’s Semiconductor ecosystem that the Kaynes Semicon OSAT facility has been inaugurated in Sanand, Gujarat. This will boost India’s efforts of emerging as a leader in futuristic technologies and innovation. pic.twitter.com/Soz8BXPWaa
— Narendra Modi (@narendramodi) March 31, 2026
વડાપ્રધાને એક વિશેષ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું, જે તેમના માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિલોમીટર દૂર આવેલું છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી તરીકે તેમણે આ એરબેઝ માટે જમીન સંપાદનનું કામ શરૂ કર્યું હતું, પરંતુ તત્કાલીન દિલ્હી સરકારે ગુજરાત વિરુદ્ધના દ્વેષને કારણે ફાઈલો વર્ષો સુધી દબાવી રાખી હતી. “તમે મને દિલ્હી મોકલ્યો અને મેં તે ફાઈલો બહાર કાઢી, જેના પરિણામે આજે આ વિશાળ એરફોર્સ બેઝ તૈયાર થયો છે,” એમ તેમણે ગર્વ સાથે કહ્યું.
આ પણ વાંચો- નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ ક્યારે પૂરું થશે તે કહી શકતા નથી; ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર લગાવશે ટોલ
