ગુજરાત સરકારે આઝાદી પછીથી અમલમાં હતા ટુકડા ધારામાં મહત્ત્વના સુધારા કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો ખેડૂતોને લાંબા સમયથી પરેશાન કરતી મુંઝવણો દૂર કરશે અને શહેરી વિકાસને પણ નવી ગતિ આપશે.સરકારે હવે આખા રાજ્યમાં તમામ પ્રકારની જમીન (પિયત, બિનપિયત, બાગાયત કે જીરાયત) માટે ૧૦ ગુંઠાનો એકસમાન નિયમ લાગુ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી જમીનના પ્રકાર અનુસાર અલગ-અલગ માપદંડ હતા, જેના કારણે ખેડૂતોને ઘણી અસુવિધા પડતી હતી. હવેથી 10 ગુંઠાથી ઓછા કોઈપણ ટુકડા પાડી શકાશે નહીં.
આ ઉપરાંત, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળોને ટુકડા ધારાના કાયદાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં NA (નો-એગ્રીકલ્ચર) પરવાનગી અને અન્ય જમીન સંબંધિત પ્રક્રિયાઓ ઘણી ઝડપી બનશે.
સરકારે એક મહત્ત્વનો સુધારો એ પણ કર્યો છે કે વર્ષ 1948થી અત્યાર સુધીમાં જે કેસોમાં નિયમ કરતાં નાના ટુકડા પાડવામાં આવ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેમને કોઈ પેનલ્ટી વગર રેગ્યુલરાઈઝ કરી દેવામાં આવશે. અત્યાર સુધી આવા કેસોમાં જંત્રીના ૧૦% પેનલ્ટી ભરવા છતાં પણ વ્યવહાર કાયદેસર ગણાતા નહોતા.આ ત્રણેય મુખ્ય સુધારાઓ માટે સરકાર વટહુકમ લાવી રહી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ ફેરફારો તાત્કાલિક અમલમાં આવી જશે.
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ એશિયન બજારોમાં ઘટાડો, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા
