- વડતાલધામ: સહજાનંદી બાળ યુવા શિબિરના પ્રારંભે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું સંતો દ્વારા પાઘ પહેરાવી સ્વાગત
- ડો. દેવુસિંહ ચૌહાણનું વડતાલધામમાં બહુમાન: આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સાંસદનું વિશિષ્ટ અભિવાદન
ખેડાના લોકપ્રિય સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણને તાજેતરમાં ભોપાલની પ્રતિષ્ઠિત LNCT વિશ્વવિદ્યાલય દ્વારા ‘માનદ ડોક્ટરેટ’ની પદવી એનાયત કરવામાં આવી છે. આ ગૌરવશાળી ઉપલબ્ધિ બદલ આજે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વરિષ્ઠ સંતો દ્વારા તેમનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.
ભગવાનના ચરણોમાં સમર્પિત કરી પદવી
આજથી વડતાલધામમાં ‘સહજાનંદી બાળ યુવા શિબિર’ના દશાબ્દી મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. આ પવિત્ર અવસરે દેવુસિંહ ચૌહાણએ વડતાલ મુકામે પધારી આચાર્યશ્રી અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે પોતાની આ ડોક્ટરેટની પદવી સૌ પ્રથમ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરી શીશ ઝુકાવ્યું હતું.

સન્માન જિલ્લાના નાગરિકોને અર્પણ
સંસ્થા દ્વારા કરવામાં આવેલા સન્માનનો પ્રતિભાવ આપતા દેવુસિંહજીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, “આ સન્માન ખરેખર મારા જિલ્લાના નાગરિકોનું સન્માન છે અને હું તેમને જ આ અર્પણ કરું છું. વડતાલ સંસ્થાએ બાળ ઘડતરનું જે વિરાટ કાર્ય કર્યું છે તે પ્રશંસનીય છે અને તેની સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને મળતું રહે છે તે મારા માટે આનંદની વાત છે.”

ભવ્ય સ્વાગત અને અભિવાદન
શિબિર સ્થળ પર પધારતા જ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી કન્યાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંચ પર આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની ગરિમામય ઉપસ્થિતિમાં દેવુસિંહજીએ દીપ પ્રાગટ્ય કરી શિબિર ખુલ્લી મૂકી હતી. મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, પૂ. નૌતમ સ્વામી, અને પૂ. શુકદેવ સ્વામીએ ટ્રસ્ટીઓ સાથે મળીને તેમને હાર, ખેસ અને પાઘ પહેરાવી વિશિષ્ટ સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂ. ગોવિંદ સ્વામી, પૂ. શ્રીવલ્લભ સ્વામી સહિત અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો – અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાછળ ₹38 કરોડનો ધુમાડો, જવાબદારી કોની?
