અમદાવાદ: સરદારનગરમાં રોજના ₹3 થી ₹5 કરોડના જુગારના ખેલ વચ્ચે મુંગડા અને જયપાલનું નામ કેન્દ્રમાં છે. સૂત્રો મુજબ મુંગડા દ્વારા સંચાલિત આ જુગારધામ જયપાલના સંરક્ષણ હેઠળ બેફામ ચાલી રહ્યું છે, જ્યાં દૈનિક લાખો રૂપિયાનું વહિવટ થતું હોવાનો દાવો છે.
માહિતી મુજબ મુંગડાના જુગારધામમાં દરરોજ સૈંકડો જુગારિયાઓ ભેગા થાય છે અને મોટા પાયે રોકડ લેવડદેવડ થાય છે. અહીં પ્રવેશ માટે ₹10 હજાર સુધીની એન્ટ્રી ફી લેવામાં આવે છે, જેના બદલામાં જુગારિયાઓને તમામ સુવિધાઓ, સુરક્ષા અને મનોરંજન આપવામાં આવે છે.
જયપાલ શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ છે, છતાં સરદારનગરમાં “વહિવટ” સંભાળી રહ્યો છે. તેના સાથે સંદીપ, લગધીર અને સ્થાનિક સિદ્ધરાજ જેવા લોકો મળીને ગોઠવણબદ્ધ નેટવર્ક ચલાવતા હોવાના આક્ષેપો છે.
આ સિસ્ટમને ચાલુ રાખવા માટે મુંગડા દ્વારા દરરોજ લાખો રૂપિયાનું વહિવટ કરવામાં આવે છે, જે માસિક કરોડોમાં પહોંચે છે. આટલા મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ ઊંચા સ્તરના સહકાર વિના શક્ય નથી એવી ચર્ચા છે.
મૂળ પ્રશ્ન એ છે કે દરરોજ કરોડોનો જુગાર રમાઈ રહ્યો છે અને સૈંકડો લોકો ભેગા થઈ રહ્યા છે, છતાં તંત્ર અજાણ કેવી રીતે રહી શકે. જો જાણ હોવા છતાં કાર્યવાહી થતી નથી, તો તે સીધી સંડોવણી તરફ ઈશારો કરે છે.
કેટલાક જાણકારો દાવો કરે છે કે શહેરની એક ઉચ્ચ એજન્સીના કેટલાક વરિષ્ઠ તત્વો આ સમગ્ર વહિવટમાં પરોક્ષ રીતે ભાગીદાર હોઈ શકે છે. તેથી આ માત્ર જુગારધામ નથી, પરંતુ ગોઠવણબદ્ધ સંરક્ષણ હેઠળ ચાલતું આપરાધિક તંત્ર છે.
