ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ LPG સિલિન્ડરની અછતને કારણે અનેક શહેરોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક જગ્યાએ ગેસ એજન્સીઓ પાસે લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સમયસર સિલિન્ડર ન મળતા લોકોમાં રોષ પણ વધતો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય પોલીસ વડા K. L. N. Rao એ ગેસના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતાં કાળાબજારી અને સંગ્રહખોરી કરનાર તત્વો સામે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે.
રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે કે જ્યાં જ્યાં LPG એજન્સીઓ કાર્યરત છે ત્યાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસને પણ સતર્ક રહીને ગેસના સ્ટોક, વિતરણ અને સપ્લાયની વ્યવસ્થાની નજીકથી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે ગેસની સંગ્રહખોરી અથવા કાળાબજારી કરતા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. જો કોઈ ગેરકાયદે રીતે ગેસ સિલિન્ડરનો જથ્થો ભેગો કરીને બજારમાં કૃત્રિમ અછત ઊભી કરતો હશે તો તેના સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય પોલીસ તંત્રનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી LPG વિતરણ અંગે અનેક વિસ્તારોમાંથી ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગેસ એજન્સીઓના સ્ટોક, ડિલિવરી અને સપ્લાય ચેઇન પર નજર રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્ય પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે સામાન્ય લોકોને ગેસ માટે મુશ્કેલી ન પડે તે સરકાર અને પોલીસ બંનેની પ્રાથમિકતા છે. તેથી જો કોઈ તત્વ કાળાબજારી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા પરિસ્થિતિનો લાભ લેવા પ્રયત્ન કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ગેસ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ કરનાર લોકો સામે કાયદા મુજબ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો – ગુજરાતમાં LPG સિલિન્ડર સંકટ વચ્ચે રાજ્ય પોલીસ વડાનો કડક સંદેશ: ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી સામે એક્શન મોડ
