આણંદ: વડતાલધામ ખાતે નિર્મિત નવા સર્કલનું રવિવારે સવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રમણભાઈ સોલંકી (કેબિનેટ મંત્રી, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો) અને કમલેશભાઈ પટેલ (રાજ્ય મંત્રી, નાણા, પોલીસ હાઉસિંગ અને જેલ) ઉપસ્થિત રહ્યા હતા. સર્કલનું ઉદ્ઘાટન રાકેશપ્રસાદજી મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો વિપુલભાઈ પટેલ અને યોગેશભાઈ બાપજી સહિત સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.
નવા સર્કલનું નિર્માણ અંદાજે 20×20 વિસ્તારામાં કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 20 ફૂટ ઊંચું મંદિર આકારનું સ્થાપત્ય બનાવાયું છે. સર્કલના ચારેય ખૂણાઓ પર નવ ફૂટ ઊંચી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાઓ ફાઇબરથી તૈયાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સમગ્ર સર્કલના નકશા ગોકુલધામ નાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને લગભગ એક વર્ષમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોવાનું જણાવાયું છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રોચ્ચાર, પુષ્પવર્ષા અને શ્રીફળ સાથે સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરની આરતી કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રસંગે મોહનપ્રસાદદાસજી સ્વામી, સંતવલ્લભદાસજી સ્વામી, દેવપ્રકાશદાસજી સ્વામી સહિત અનેક સંતો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે. જે. પટેલનો ઐતિહાસિક વિજય, પ્રથમ પસંદગીના મતોમાં ક્વોટા પાર
