તેહરાન : ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનેઈએ પ્રથમ નિવેદન જાહેર કર્યો છે. ઈરાની ટેલિવિઝન પર એન્કર દ્વારા વાંચીને સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો, જેમાં મોજતબાએ હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી ચાલુ રાખવા અને મિનાબ સ્કૂલના બાળકો સહિત શહીદ થયેલા લોકોના ખૂનનો બદલો લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મોજતબા ખામેનેઈએ કહ્યું કે તેમને “ઈસ્લામિક ગણરાજ્યના ટેલિવિઝન દ્વારા નિષ્ણાતોની સભા (એક્સપર્ટ્સ એસેમ્બલી)ના મતથી નેતા તરીકે ચૂંટાયાની સૂચના આપવામાં આવી છે.” અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરતાં તેમણે હુમલા ચાલુ રાખવાની વાત કરી અને કહ્યું કે “અન્ય મોરચાઓ ખોલવાના પર વિચારવિમર્શ કરવામાં આવી રહ્યું છે, જ્યાં દુશ્મનને ઓછો અનુભવ છે.”
તેમણે યમનમાં ઈરાનના સાથીઓ લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઈરાકમાં રેઝિસ્ટન્સની પ્રશંસા કરી અને તેમને “દુશ્મન વિરુદ્ધ લડતા શહીદો” ગણાવ્યા. આ નિવેદન તેમના સ્વાસ્થ્ય અને શારીરિક સ્થિતિ અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે આવ્યું છે. સાયપ્રસમાં ઈરાનના રાજદૂત અલીરેઝા સલારિયને બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ને જણાવ્યું હતું કે “મને ખબર પડી છે કે તેમના પગ, હાથ અને બાજુ ઘાયલ છે… મને લાગે છે કે તેઓ ઈજાને કારણે હોસ્પિટલમાં છે.” તેમણે વધુ કહ્યું કે “મને નથી લાગતું કે તેઓ કોઈ પરિસ્થિતિમાં ભાષણ આપવા માટે આરામદાયક અનુભવ કરશે.”
આ સપ્તાહના સોમવારે નિષ્ણાતોની સભાએ તેમને ઈરાનના ત્રીજા સુપ્રીમ લીડર તરીકે પસંદ કર્યા હતા. ઈરાનની ન્યાયવ્યવસ્થા, સુરક્ષા અને સૈન્ય તંત્ર સહિત તમામ સંસ્થાઓએ તેમના ચૂંટાવાનું સ્વાગત કર્યું છે અને તેમના પ્રત્યે “નિષ્ઠા”ની શપથ લીધી છે.
આ નિવેદન ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધના તીવ્ર તબક્કામાં આવ્યું છે, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલાઓ અને તેલ સપ્લાય પર સંકટ વધી રહ્યું છે. મોજતબા ખામેનેઈનો આ પહેલો સંદેશ ઈરાનના નવા નેતૃત્વની આક્રમક નીતિનો સંકેત આપે છે અને યુદ્ધમાં નવા મોરચા ખોલવાની શક્યતા તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો –LPG ગેસ સંકટ પર સડકથી સંસદ સુધી હંગામો, પીએમ મોદીના આશ્વાસન પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
