પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભાને સંબોધિત કરતા કહ્યું કે ‘રાજ્યની સરકારે આ રેલીને રોકવા માટે પોતાના બધા જ હથિયારો કાઢી લીધા છે.’
પીએમ મોદીએ શનિવારે સભાને સંબોધિત કરતા કહ્યું, “આજે આ સભાને રોકવા માટે પશ્ચિમ બંગાળની નિર્દય સરકારે પોતાના તમામ હથિયારો કાઢી લીધા છે.”
તેમણે કહ્યું, “તમને આવતા રોકવા માટે તેમણે પુલ બંધ કરી દીધા, વાહનો રોકી દીધા, ટ્રાફિક જામ કરી દીધો, બીજેપીના ઝંડા ઉખાડી દીધા અને પોસ્ટરો ફાડી દીધા. પરંતુ નિર્દય સરકાર સ્પષ્ટપણે જુઓ તમે આજના જનસમુદાયને રોકી શક્યા નહીં.”
અસલમાં આ પહેલાં કોલકાતામાં રેલી સ્થળથી 5 કિલોમીટર દૂર ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ) અને બીજેપી સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. બીજેપી સમર્થકોએ દાવો કર્યો કે તેમના પર અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ટીએમસીએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારમાં મંત્રી શશી પાંજા પર પથ્થરમારો થયો હતો. ટીએમસીએ એક્સ હેન્ડલ પર લખ્યું, “કોલકાતામાં ભય અને અવ્યવસ્થા ફેલાવવાના આવા પ્રયાસ અસ્વીકાર્ય છે. બંગાળના લોકો સ્પષ્ટ જોઈ રહ્યા છે કે બીજેપીનું ‘પરિવર્તન’ કેવું દેખાય છે.”
આ પણ વાંચો – ઇરાકમાં ઈરાન સમર્થિત રેઝિસ્ટન્સની જાહેરાત : અમેરિકી અધિકારીઓની માહિતી આપો મેળવો ₹1 કરોડ
