ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બદલાયેલા હવામાનની અસરે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયું છીનવી લીધું છે. મોટા પ્રમાણમાં ખેડૂતોનું પાક પલળી ગયું હોવાના કારણે નુકશાન થયું છે. આ વચ્ચે જામજોધપુર તાલુકામાં અચાનક આવેલા કમોસમી વરસાદ અને વીજળીના કારણે એક માલધારીનું દુઃખદ મૃત્યુ થયું છે, જ્યારે જામનગર શહેરમાં મિનિ વાવાઝોડા જેવા તેજ પવનોએ ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલા પાણાખાણ વિસ્તારમાં આ ઘટના બની. જૂની આંબરડી ગામના 52 વર્ષીય કાબા વકાતર, જેઓ વ્યવસાયે માલધારી હતા, તેમણે સાંજે પોતાની ભેંસો ચરાવવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક વિજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત થઈ હતી.
તો રાજ્યભરમાં ખેડૂતોના ઘઉં સહિતના પાકોને મોટું નુકશાન થયું છે. કેટલાક ખેડૂતોના ઉભા સૂકા ઘઉં પલળી ગયા છે, તો કેટલાક ખેડૂતોના વાઢેલા ઘઉં પલળી જતાં મોટું આર્થિક નુકશાન થયું છે. તો હજું પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ અને કરાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – નેતન્યાહુ બોલ્યા – “અમે ટ્રમ્પને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં ખેંચ્યા નથી”
