Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું

ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું

gujaratex@gmail.com April 8, 2026
BABA - 2026-04-08T163507.672

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા 2006 બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે.

રાજ્ય સરકારે આ રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે, જેના કારણે વહીવટી તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સૂત્રોના અનુસાર, IPS મનોજ નિનામા સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ભાજપ પાસે ટિકિટ માગી છે. શામળાજીના વતની આ અધિકારી હવે ‘ખાખી’ છોડીને ‘ખાદી’ ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મનોજ નિનામા આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોડાઈ શકે છે. તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઓડ બેઠક પરથી ભાજપની ટિકિટ માટે દાવેદારી નોંધાવી શકે છે. આવતીકાલ સુધીમાં ભાજપની યાદીમાં તેમનું નામ આવી શકે તેવી પ્રબળ શક્યતા છે.

Join Our WhatsApp Group

જો તેઓ સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવે તો ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને મહત્ત્વના દાવેદાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતાં તેમના રાજકીય પ્રવેશથી સ્થાનિક સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.

IPS મનોજ નિનામાની પ્રતિક્રિયા

રાજીનામા બાદ મનોજ નિનામાએ કહ્યું, “42 વર્ષની લાંબી નોકરી પછી મેં રાજીનામું આપ્યું છે. સમાજનું મારા પર ઋણ છે, તેને જવાબદારી સમજીને હું આગળ વધી રહ્યો છું. હજુ સુધી કોઈ રાજકીય પક્ષે મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે, તેની જવાબદારીઓ હું નિભાવીશ.”

જણાવી દઈએ કે મનોજ નિનામા 2006 બેચના IPS અધિકારી છે અને હાલમાં ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી તરીકે ફરજ બજાવતા હતા. તેમના લાંબા અનુભવને કારણે પોલીસ વર્તુળોમાં તેમની ઓળખાણ છે. હવે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરીને નવી કારકિર્દી શરૂ કરવા માંગે છે.

આ પણ વાંચો – મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી
Next: અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.