સુરત – સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતાં આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ સ્થાનિક લોકો અને પરિવારોમાં ભારે આઘાત પહોંચાડ્યો છે.
પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત યુવતીઓમાંથી એકનું નામ વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે, જે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંનેના મૃતદેહ મંદિર પરિસરના બાથરૂમમાં મળી આવ્યા હતા, જેમને સૌથી પહેલા મંદિરના સ્ટાફ અથવા ભક્તો દ્વારા દેખવામાં આવ્યા છે.
ડીંડોલી પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પ્રાથમિક તપાસમાં આપઘાત (suicide)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વધુ તપાસ પછી જ જાણી શકાશે. CCTV ફૂટેજ, મંદિર સ્ટાફ અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
મૃત વિદ્યાર્થિનીઓના પરિવારો અને સ્થાનિક લોકોમાં ભારે શોકનું વાતાવરણ છે. મંદિર જેવા પવિત્ર સ્થળે આવી દુ:ખદ ઘટના બનતાં લોકોમાં આશ્ચર્ય અને ભયની લાગણી છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને વિદ્યાર્થિનીઓ તણાવમાં હોવાની વાતો પણ સામે આવી રહી છે, જોકે આની પુષ્ટિ થઈ નથી.
આ ઘટના ગુજરાત બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને દબાણ વિશે ફરી એક વાર ચર્ચા ઉભી કરી રહી છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે તમામ શાળા-કોલેજોમાં માનસિક આરોગ્ય પોલિસી લાગુ કરવાની વાત કરી છે.
આ પણ વાંચો – ઈરાન કેવી રીતે ટેક્નોલોજી અને બુદ્ધિના બળે અમેરિકા-ઇઝરાયલને ટક્કર આપી રહ્યું છે?
