સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં આવેલી મામલતદાર કચેરીમાં એક મોટી લાંચની ઘટના સામે આવી છે. કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ પ્યુન કનકસિંહ વાધુભા ઝાલા અને નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમારને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
એસીબી દ્વારા વચેટિયા પ્યૂન અને અધિકારી સામે લાંચ લેવાના આરોપમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાંચની આ ઘટના મહેસૂલ વિભાગમાં ચાલતી ગેરરીતિઓ તરફ ફરી એક વખત ધ્યાન ખેંચે છે.
મામલતદાર કચેરી, લખતર ખાતે ફરજ બજાવતા આઉટસોર્સ પ્યુન કનકસિંહ વાધુભા ઝાલા અને નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમારે કોઈ કામ માટે લાંચ માંગી હતી. પરંતુ અરજદાર લાંચ આપવા માંગતો નહોવાના કારણે તેને એસીબીનો સંપર્ક સાંધ્યો હતો. ભ્રષ્ટાચાર રોકવા માટે એસીબીએ નાયબ મામલતદારને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતુ.
નાયબ મામલતદાર વતી પ્યૂન દ્વારા લાંચનું સ્વીકાર કરવાની સાથે જ એસીબીની ટીમે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા બંને અધિકારીઓ સામે લાંચ વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની સામે વધુ તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે લાંચ વિરોધી ટીમ સતત સક્રિય છે અને કોઈપણ અધિકારીને લાંચ લેતા છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો – અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી
