Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સુરેન્દ્રનગરમાં થયેલ ‘અકસ્મિક મોત’ પાછળ હત્યાની સાજિશ : ક્રાઇમ બ્રાંચ અમદાવાદ

સુરેન્દ્રનગરમાં થયેલ ‘અકસ્મિક મોત’ પાછળ હત્યાની સાજિશ : ક્રાઇમ બ્રાંચ અમદાવાદ

gujaratex@gmail.com May 18, 2026
Untitled
  • અમદાબાદ ક્રાઇમ બ્રાંચના માનવ ઇન્ટેલિજન્સ તપાસથી પતિની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની અને સાથી આરોપી ઝડપાયા

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે માનવ ઇન્ટેલિજન્સ આધારિત તપાસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલા એક ‘અકસ્મિક મોત’ના કેસનો ભેદ ઉકેલીને તેની પાછળ છુપાયેલી હત્યાની સાજિશનો પર્દાફાશ કર્યો છે.

તપાસ દરમિયાન પોલીસને સોલડી ગામના રહેવાસી શાંતિગિરી વિષ્ણુગિરી ગોસ્વામીના શંકાસ્પદ ગુમ થવા અને મોત અંગે માહિતી મળી હતી. અગાઉ કેનાલ વિસ્તારમાં મળેલા અજાણ્યા મૃતદેહને અકસ્માત તરીકે ગણવામાં આવ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચની ગુપ્ત તપાસમાં આ ઘટનામાં ઈરાદાપૂર્વકના ગુનાનો સંકેત મળ્યો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની જાગૃતિબેનના સહઆરોપી કાંતિભાઈ ઉર્ફે ભારતભાઈ લાલજીભાઈ સબરિયા સાથે નજીકના સંબંધો હતા. ઘરેલું વિવાદો અને વ્યક્તિગત મતભેદોને કારણે બંનેએ મળીને શાંતિગિરી ગોસ્વામીની હત્યાની સાજિશ રચી હોવાનો ખુલાસો થયો છે.

Join Our WhatsApp Group

તપાસમાં એક મહત્વપૂર્ણ પાસું પણ સામે આવ્યું કે લગભગ દોઢ વર્ષ પહેલા જાગૃતિબેને ડીસાના યુનુસ મેમણને શાંતિગિરીને મારવા માટે પૈસાની ઓફર કરી હતી. પરંતુ યુનુસ મેમણ મૃતકનો મિત્ર હોવાને કારણે તેણે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે ખોટી તસવીર મોકલી ‘કામ પૂર્ણ’ થયાનું દર્શાવીને જાગૃતિબેન પાસેથી રૂ. 25,000 મેળવ્યા હતા. જોકે બાદમાં શાંતિગિરી જીવિત હોવાનો ખુલાસો થતાં પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

આગળની તપાસમાં ખુલ્યું કે કાંતિભાઈ સબરિયાએ હત્યા અને પુરાવા નષ્ટ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જ્યારે જાગૃતિબેને સાજિશ રચવામાં અને ગુનો છુપાવવામાં સહભાગીતા દર્શાવી હતી. આરોપીઓએ મૃતક સ્વેચ્છાએ ઘર છોડીને ગયો હોવાનો ભ્રમ ઉભો કરીને કેસને દબાવવા પ્રયાસ કર્યો હતો.

મહિનાઓ સુધી છુપાયેલો આ ગુનો ક્રાઈમ બ્રાંચની સતત ઇન્ટેલિજન્સ આધારિત કામગીરીથી બહાર આવ્યો. પોલીસે મૃતદેહની ઓળખ કરી અને સમગ્ર સાજિશનો ભંડાફોડ કર્યો.

ક્રાઈમ બ્રાંચે 17 મે 2026ના રોજ કાંતિભાઈ ઉર્ફે ભારતભાઈ લાલજીભાઈ સબરિયા અને જાગૃતિબેન (પત્ની શાંતિગિરી ગોસ્વામી)ની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો – ભારતમાં મીડિયા અને લઘુમતીઓ અંગે ડચ પીએમની ‘ચિંતા’ પર મોદી સરકારે આપી પ્રતિક્રિયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભારતમાં મીડિયા અને લઘુમતીઓ અંગે ડચ પીએમની ‘ચિંતા’ પર મોદી સરકારે આપી પ્રતિક્રિયા
Next: ચાંદખેડાની બે માસૂમ મોત : પોલીસનો ડર મોટો કે કાયદો?

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.