Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સુરેન્દ્રનગરમાં થયેલ ‘અકસ્મિક મોત’ પાછળ હત્યાની સાજિશ : ક્રાઇમ બ્રાંચ અમદાવાદ

સુરેન્દ્રનગરમાં થયેલ ‘અકસ્મિક મોત’ પાછળ હત્યાની સાજિશ : ક્રાઇમ બ્રાંચ અમદાવાદ

gujaratex@gmail.com May 18, 2026
Untitled
  • અમદાબાદ ક્રાઇમ બ્રાંચના માનવ ઇન્ટેલિજન્સ તપાસથી પતિની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની અને સાથી આરોપી ઝડપાયા

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે માનવ ઇન્ટેલિજન્સ આધારિત તપાસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલા એક ‘અકસ્મિક મોત’ના કેસનો ભેદ ઉકેલીને તેની પાછળ છુપાયેલી હત્યાની સાજિશનો પર્દાફાશ કર્યો છે.

તપાસ દરમિયાન પોલીસને સોલડી ગામના રહેવાસી શાંતિગિરી વિષ્ણુગિરી ગોસ્વામીના શંકાસ્પદ ગુમ થવા અને મોત અંગે માહિતી મળી હતી. અગાઉ કેનાલ વિસ્તારમાં મળેલા અજાણ્યા મૃતદેહને અકસ્માત તરીકે ગણવામાં આવ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચની ગુપ્ત તપાસમાં આ ઘટનામાં ઈરાદાપૂર્વકના ગુનાનો સંકેત મળ્યો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની જાગૃતિબેનના સહઆરોપી કાંતિભાઈ ઉર્ફે ભારતભાઈ લાલજીભાઈ સબરિયા સાથે નજીકના સંબંધો હતા. ઘરેલું વિવાદો અને વ્યક્તિગત મતભેદોને કારણે બંનેએ મળીને શાંતિગિરી ગોસ્વામીની હત્યાની સાજિશ રચી હોવાનો ખુલાસો થયો છે.

Join Our WhatsApp Group

તપાસમાં એક મહત્વપૂર્ણ પાસું પણ સામે આવ્યું કે લગભગ દોઢ વર્ષ પહેલા જાગૃતિબેને ડીસાના યુનુસ મેમણને શાંતિગિરીને મારવા માટે પૈસાની ઓફર કરી હતી. પરંતુ યુનુસ મેમણ મૃતકનો મિત્ર હોવાને કારણે તેણે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે ખોટી તસવીર મોકલી ‘કામ પૂર્ણ’ થયાનું દર્શાવીને જાગૃતિબેન પાસેથી રૂ. 25,000 મેળવ્યા હતા. જોકે બાદમાં શાંતિગિરી જીવિત હોવાનો ખુલાસો થતાં પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

આગળની તપાસમાં ખુલ્યું કે કાંતિભાઈ સબરિયાએ હત્યા અને પુરાવા નષ્ટ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જ્યારે જાગૃતિબેને સાજિશ રચવામાં અને ગુનો છુપાવવામાં સહભાગીતા દર્શાવી હતી. આરોપીઓએ મૃતક સ્વેચ્છાએ ઘર છોડીને ગયો હોવાનો ભ્રમ ઉભો કરીને કેસને દબાવવા પ્રયાસ કર્યો હતો.

મહિનાઓ સુધી છુપાયેલો આ ગુનો ક્રાઈમ બ્રાંચની સતત ઇન્ટેલિજન્સ આધારિત કામગીરીથી બહાર આવ્યો. પોલીસે મૃતદેહની ઓળખ કરી અને સમગ્ર સાજિશનો ભંડાફોડ કર્યો.

ક્રાઈમ બ્રાંચે 17 મે 2026ના રોજ કાંતિભાઈ ઉર્ફે ભારતભાઈ લાલજીભાઈ સબરિયા અને જાગૃતિબેન (પત્ની શાંતિગિરી ગોસ્વામી)ની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો – ભારતમાં મીડિયા અને લઘુમતીઓ અંગે ડચ પીએમની ‘ચિંતા’ પર મોદી સરકારે આપી પ્રતિક્રિયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભારતમાં મીડિયા અને લઘુમતીઓ અંગે ડચ પીએમની ‘ચિંતા’ પર મોદી સરકારે આપી પ્રતિક્રિયા
Next: ચાંદખેડાની બે માસૂમ મોત : પોલીસનો ડર મોટો કે કાયદો?

Related News

BABA (73)

આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

gujaratex@gmail.com July 17, 2026
BABA (72)

POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

gujaratex@gmail.com July 16, 2026
BABA (65)

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.