અમદાવાદ: શહેરના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹12 લાખના કથિત ‘તોડ’ (ઉઘરાણી)ના મામલે સમગ્ર પોલીસ મહેકમામાં ચર્ચા જગાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જાણીતી તમાકુ-પાનમસાલા બ્રાન્ડ સાથે જોડાયેલા આ પ્રકરણમાં અમિત ગઢવી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેમણે આ કથિત ઉઘરાણી અંજામ આપી હોવાનું કહેવાય છે.
માહિતી મુજબ, આ સમગ્ર મામલો ગેરકાયદેસર રીતે તમાકુની ડિલિવરી સાથે જોડાયેલો છે, જેમાં ‘શ્રી’ બ્રાન્ડના નામે મોટા પાયે પાનમસાલાનો વેપાર કરતી કંપની સાથે તોડ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ગેરકાયદેસર સપ્લાય વચ્ચે ₹12 લાખ જેટલી મોટી રકમના ‘તોડ’ની ઘટના સામે આવી છે.
સૂત્રો એ પણ દાવો કરે છે કે આ સમગ્ર પ્રકરણ પાછળ ‘સાવલિયા’ નામના અધિકારીના ઈશારો હતો, જેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ બાબતે વિશ્વસનિય સુત્રો જણાવે છે કે, અંદરખાને આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે.
પોલીસ વિભાગમાં આ ઘટનાને લઈને ગંભીરતા જોવાઈ રહી છે. ચર્ચા છે કે કેટલાક સિનિયર અધિકારીઓ આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી લઈ જવાની તૈયારીમાં છે. જો એવું થાય તો આવનારા સમયમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં મોટી કાર્યવાહી થવાની શક્યતા નકારી શકાય નહીં.
આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ થાય તો હકીકતો બહાર આવી શકે છે, પરંતુ ₹12 લાખના કથિત તોડના કારણે અમદાવાદ પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઊભા થયા છે.
