નિકોલનો રહેવાસી જતીન પટેલ ધરપકડમાં, પીડિતા હાલ ખતરા બહાર ; વળતર પ્રક્રિયા પણ શરૂ
અમદાવાદ: શહેરમાં બનેલી એક ગંભીર એસિડ એટેકની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર 24 કલાકની અંદર આરોપીને ઝડપી પાડીને કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપથી કરવામાં આવેલી કાર્યવાહી પોલીસ તંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જતીન રણજીતભાઈ પટેલ (ઉંમર 30), રહેવાસી ઉત્તમ નગર, નિકોલ તરીકે થઈ છે. પ્રાથમિક રીતે આ ગુનો અનડિટેક્ટ રહ્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી.
પોલીસ સૂત્રો મુજબ, આરોપીને ઝડપ્યા બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. હવે આ કેસમાં આગળની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાશે.
આ ઘટનામાં ઘાયલ બનેલી મહિલા અંગે સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. તબીબી સારવાર હેઠળ રહેલી પીડિતા હાલ ખતરા બહાર છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, ક્રાઈમ બ્રાન્ચે પીડિતાને સરકારની વર્તમાન નીતિ મુજબ વળતર મળી રહે તે માટેની પ્રક્રિયા શરૂ કરવાની પણ ખાતરી આપી છે. એસિડ એટેક જેવી ગંભીર ઘટનાઓમાં પીડિતાને આર્થિક અને માનસિક સહારો મળે તે દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે શહેરમાં ગંભીર ગુનાઓ સામે પોલીસ તંત્ર સક્રિય અને સતર્ક છે.
આ પણ વાંચો – પેટ્રોલ, ડીઝલ અને ગેસના ‘સંકટ’ અંગે પીએમ મોદીએ શું કહ્યું?
