વિશાલ મિસ્ત્રી રાજપીપળા : ડેડિયાપાડા તાલુકાના સામરપાડા (ચપાવી) ગામના નરાધમ યુવાને એક સગીરા સાથે અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.આ કેસમાં કોર્ટે નરાધમને આજીવન કેદની સજાની સાથે 80 હજાર રૂપિયા દંડ તથા સગીરાને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ કેસની વિગત મુજબ ડેડિયાપાડા તાલુકાના સામરપાડા (ચપાવી) ગામના શાંતિલાલ મુલજી વસાવાએ 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કુનબાર ગામેથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ અવાર નવાર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
આ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એ.વી.હિરપરાની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં ફરીયાદી તરફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે. ગોહીલની દલીલો અને સાયન્ટીફિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટોને ધ્યાને લઈ શાંતિલાલ મુલજી વસાવાને આજીવન કેદ તથા 80,000 રૂપિયા દંડ અને તકસીરવાર ઠેરવી 2,00,000 રૂપિયા વળતરનો હુકમ કર્યો હતો, 80,000 માંથી 50,000 ભોગ બનનારને ચુકવવાનું પણ કોર્ટે જણાવ્યું છે.
આ પણ વાંચો- નાંદોદ તાલુકાના સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેર કરવા આવેલા 3 યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત
