Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ‘મોદીના ડરથી બોલતા નથી?’- રાઘવ ચઢ્ઢા પર આમ આદમી પાર્ટીનો આકરો હુમલો

‘મોદીના ડરથી બોલતા નથી?’- રાઘવ ચઢ્ઢા પર આમ આદમી પાર્ટીનો આકરો હુમલો

gujaratex@gmail.com April 3, 2026
BABA (82)

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં પોતાના ડેપ્યુટી લીડરનું પદ રાઘવ ચઢ્ઢા પાસેથી લઈને અશોક કુમાર મિત્તલને સોંપી દીધું છે. આ નિર્ણય બાદ રાઘવ ચઢ્ઢાએ જાહેર વીડિયોમાં પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં આપ નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે.

રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં કહ્યું હતું કે તેઓ સંસદમાં સામાન્ય માણસના મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ તેમને બોલવા પર રોક લગાવવામાં આવી છે. તેમણે કહ્યું, “મારી ચૂપ્પીને હાર ન સમજશો, હું એવી નદી છું જે સમય આવે ત્યારે પૂર બની જાય છે.”

આ વીડિયો બાદ આપના અનેક નેતાઓએ એક પછી એક વીડિયો અને પોસ્ટ્સ દ્વારા રાઘવ ચઢ્ઢા પર પલટવાર કર્યો છે. તેમના પર મોદી અને ભાજપથી ડરવાનો, પાર્ટીના મુદ્દાઓ પર ચૂપ રહેવાનો અને અરવિંદ કેજરીવાલની ધરપકડ વખતે લંડનમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

આપ નેતાઓના આરોપો

આપ નેતા અનુરાગ ચઢ્ઢાએ કહ્યું, “રાઘવ, તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ડરી ગયા છો. મોદી સામે બોલવાથી ઘબરાઓ છો. દેશના અસલી મુદ્દાઓ પર બોલવાથી ડરો છો.”

આતિશીએ કહ્યું, “રાઘવ ચઢ્ઢા, તમે ભાજપ અને મોદીથી આટલા ડરો છો તો સંસદમાં સવાલ કેમ નથી ઉઠાવતા? કેજરીવાલની ધરપકડ વખતે તમે લંડનમાં હતા.”

સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે રાઘવ ચઢ્ઢા સંસદમાં માત્ર ‘સોફ્ટ પીઆર’ કરે છે અને દેશના મોટા મુદ્દાઓને અવગણે છે.

રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે રાઘવ ચઢ્ઢા ગેસની અછત, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઘોટાળા અને પંજાબમાં પાર્ટીના અધિકારોના મુદ્દા પર ક્યારેય અવાજ ઉઠાવતા નથી.

વિરોધપક્ષોની પ્રતિક્રિયા

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ વડિંગે કહ્યું, “રાઘવ ચઢ્ઢા અને આપ અલગ છે. તેઓ પાર્ટી છોડશે અથવા તેમને બહાર કાઢવામાં આવશે.”ભાજપ સાંસદ રામવીર સિંહ વિધૂરીએ કહ્યું કે જો પાર્ટીએ કોઈ વરિષ્ઠ સાંસદના બોલવા પર પ્રતિબંધ મૂક્યો હોય તો તે લોકતંત્રની હત્યા છે.

રાઘવ ચઢ્ઢા આપના સ્થાપના કાળથી જ પાર્ટી સાથે છે. તેઓ એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી વિશ્વાસુ અને યુવા વ્યૂહરચનાકાર માનવામાં આવતા હતા. 26 વર્ષની ઉંમરે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા હતા અને પછી રાજ્યસભા સુધી પહોંચ્યા હતા.નવા ડેપ્યુટી લીડર અશોક મિત્તલે આ ફેરફારને સામાન્ય અને લોકતાંત્રિક પ્રક્રિયા ગણાવ્યો છે.

આ પણ વાંચો – રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું – ‘મને ખામોશ કરાઈ દેવામાં આવ્યો છે, હું હાર્યો નથી’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું – ‘મને ખામોશ કરાઈ દેવામાં આવ્યો છે, હું હાર્યો નથી’
Next: ઈરાને સઉદી, UAE અને જોર્ડનના 8 મહત્ત્વના પુલોની ‘હિટ લિસ્ટ’ જાહેર, કહ્યું- “હવે કોઈ બચશે નહીં”

Related News

BABA - 2026-06-02T124227.328

ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-02T122633.321

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-01T175625.124

‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

gujaratex@gmail.com June 2, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.