Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • વડતાલધામના સેવામૂર્તિ સાધુ શ્યામવલ્લભદાસ પંચત્વમાં વિલીન

વડતાલધામના સેવામૂર્તિ સાધુ શ્યામવલ્લભદાસ પંચત્વમાં વિલીન

gujaratex@gmail.com May 15, 2026
BABA (48)
  • સંતો-ભક્તોની ઉમટી ભીડ, વહેલી સવારથી અંતિમ દર્શન માટે લાંબી કતારો

વડતાલ: વડતાલધામના સેવામૂર્તિ અને મૂક સેવક તરીકે ઓળખાતા સાધુ શ્યામવલ્લભદાસજીના અક્ષરધામ સિધાવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજરોજ સમગ્ર મૂળ સંપ્રદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેમના અંતિમ દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને સંતો-અગ્રણી ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી.

સહજ અને સાધુ સ્વભાવ ધરાવતા શ્યામવલ્લભદાસજી ઉત્સવ સમૈયાઓના સુવ્યવસ્થિત આયોજન અને યુવા પેઢીના સેવકોના ઘડતર માટે જાણીતા હતા. નાના માણસોની સેવા સાથે મોટા માણસોને જોડવાની તેમની અનોખી રીત અને જાતને ઘસીને સેવા કરવાની ભાવનાએ તેમને સર્વત્ર માન-આદર અપાવ્યો હતો.

Join Our WhatsApp Group

તેમના નિધન પ્રસંગે કુંડળધામના પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, સરધારના પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી, જેતપુરના પૂજ્ય નિલકંઠચરણ સ્વામી, વડતાલના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત જુનાગઢ, ગઢપૂર, લોયાધામ, સારંગપુર, જેતલપુર અને મૂળીના મહંતો અને સંતોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત રાજકોટ ગુરૂકુળ, એસજીવીપી ગુરુકુળ અને અન્ય સંસ્થાઓના સંતો તથા અગ્રણી ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વડોદરા, ભરૂચ સહિત વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહીને સાધુશ્રીને ભાવભીની વિદાય આપી હતી. સાધુ શ્યામવલ્લભદાસજીનું અવસાન સંપ્રદાય માટે અપુરણીય ક્ષતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અટલજી હોત તો શું વિચારતા? કથળતી સંસ્થાઓ, ડરેલા મતદારો અને ‘નિયંત્રિત લોકશાહી’ તરફ વધતો ભારત દેશ
Next: અદાણી સામેથી છેતરપિંડી અને લાંચના આરોપો હટાવી શકે છે અમેરિકા, કોર્ટમાં સેટલમેન્ટની તૈયારી!

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.