Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું નથી જળવાતું માન, રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર

સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું નથી જળવાતું માન, રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર

gujaratex@gmail.com February 26, 2026
Nabanna1

Gandhinagar : ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં લોકપ્રતિનિધિઓના સન્માનને લઈને ફરી એકવાર વિવાદ અને ચર્ચા જાગી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર બહાર પાડીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો સંસદસભ્યો, મંત્રીઓ કે ધારાસભ્યોના માન-સન્માનમાં કોઈ ચૂક થશે, તો તેને ગંભીર ગણીને કડક પગલાં લેવામાં આવશે.

કેમ પડ્યો પરિપત્રનો ફાળો?

સરકારના ધ્યાને આવ્યું કે, અગાઉ વર્ષ 2018 અને 2021માં આ બાબતે અનેક સૂચનાઓ આપવા છતાં, અમુક અધિકારીઓ લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરતા નથી. જાહેર હિસાબ સમિતિએ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી હતી કે સરકારી કાર્યક્રમોમાં લોકપ્રતિનિધિઓની અવગણના કરવામાં આવે છે અથવા તેમને યોગ્ય પ્રોટોકોલ મળતો નથી.

Join Our WhatsApp Group

આ બાબતોનો ખ્યાલ રાખવા આદેશ

મંત્રીઓના જિલ્લા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેમને ગરિમાપૂર્ણ આવકાર આપવો.

જિલ્લા તંત્ર દ્વારા સરકારી કાર્યક્રમોના આયોજન વખતે જે-તે જિલ્લાના પ્રભારી મંત્રીને સંકલનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવું.

જનપ્રતિનિધીઓની જાહેર કાર્યક્રમમાં તેમજ સરકારી કચેરીઓની મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓએ તેમનું માન જળવાય અને વિવેકપૂર્ણ વ્યવહાર થાય તે અંગે ખાસ ધ્યાન રાખવું. તેમને રાહ જોવડાવ્યા વિના તુરત જ આવકારી, તેમની રજૂઆતો સાંભળવી / રજૂઆતો અંગે ચર્ચા કરવી. આ ઉપરાંત, વંચાણે લીધેલ ક્રમાંક-01 થી 04 પરના પરિપત્રોની સૂચનાઓનો આથી ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે. આ સૂચનાઓના ભંગની ફરિયાદ ગંભીર લેખાશે અને તે માટે જવાબદાર સામે નિયમોનુસાર પગલાં લેવામાં આવશે.

શિસ્તભંગના પગલાંની ચીમકી

સામાન્ય વહીવટ વિભાગે આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે, જો ભવિષ્યમાં આ સૂચનાઓના ભંગની કોઈ ફરિયાદ આવશે, તો તેને સેવામાં ગંભીર બેદરકારી ગણવામાં આવશે. જવાબદાર અધિકારી કે કર્મચારી સામે નિયમોનુસાર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઉનામાં નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ
Next: ઇઝરાયલની સંસદમાં વિપક્ષે વોકઆઉટ કર્યું પરંતુ PM મોદી સાથે મિલાવ્યો હાથ

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.