Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • મનપસંદ રેડમાં નાર્કોટિક્સ નેટવર્ક અને આંગડિયા કનેક્શનની તપાસ! ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ સુધી રેલો પહોંચશે ?

મનપસંદ રેડમાં નાર્કોટિક્સ નેટવર્ક અને આંગડિયા કનેક્શનની તપાસ! ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ સુધી રેલો પહોંચશે ?

gujaratex@gmail.com August 5, 2026
manpasand

manpasand

અમદાવાદ : દરિયાપુરના ચર્ચિત ‘મનપસંદ જીમખાના’ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના દરોડા બાદ નવા અને સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસ માત્ર જુગાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તેના તાર દેશવિરોધી પ્રવૃત્તિઓ અને હવાલા નેટવર્ક સાથે જોડાયેલા હોવાની આશંકાએ સમગ્ર તપાસનો ધમધમાટ વધારી દીધો છે.

ઉચ્ચ અધિકારીઓના અનુસાર, આ જુગારધામમાંથી એકત્ર થતા કરોડો રૂપિયાના ફંડનો ઉપયોગ નાર્કોટિક્સ (ડ્રગ્સ) કે અન્ય દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થયો હોવાની પ્રબળ શક્યતા છે. તેથી આર્થિક હેરફેરની કડીઓ મેળવવા માટે SMC આ મની ટ્રેઇલ સાથે જોડાયેલી આંગડિયા પેઢીઓની પણ તપાસ કરશે. જરૂર પડશે તો તેમને કેસમાં સહ-આરોપી પણ બનાવી શકે છે.

જ્યારે તપાસનો દાયરો ડ્રગ્સ, આંગડિયા અને દેશવિરોધી કનેક્શન સુધી પહોંચી રહ્યો હોય, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલું મોટું સામ્રાજ્ય આખરે કોના રક્ષણ હેઠળ ફૂલીફાલી રહ્યું હતું?

Join Our WhatsApp Group

સ્થાનિક પોલીસ અને એજન્સીઓના આકાઓની છત્રછાયા વગર 33 વર્ષથી આ અડ્ડો ચાલવો અશક્ય છે. તો પછી આ કાળા કારોબારને રક્ષણ આપનારા ‘વહીવટદારો’ સામે પણ કાર્યવાહી થશે?

સૂત્રોના અનુસાર, જેમના ઈશારે આ જુગારધામ અત્યારે ચાલી રહ્યું હતું, તે બે નામો હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. શહેર કક્ષાએ અને ઉપરી સ્તરેથી આ જુગારધામને કાયદાકીય કવચ અને ‘પ્રોટેક્શન’ પૂરું પાડવામાં વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદાની ભૂમિકા સૌથી શંકાસ્પદ માનવામાં આવે છે.

લાંબા સમયથી સેટિંગ અને વહીવટના નામે ખાકી અને દરિયાપુર વચ્ચે પુલનું કામ કરનાર ઉપેન્દ્રસિંહ રાયજાદા સામે કાર્યવાહી થશે? જેમના માટે રાયજાદા આ ક્લબમાંથી ઉઘરાણી કરતો હતો, તે “આકા” કોણ છે?

એજન્સી તરફથી આ અડ્ડાને લીલી ઝંડી આપવા અને કાર્યવાહી રોકવા માટે ‘વહીવટદાર’ કલ્યાણસિંહનું પ્રોટેક્શન પણ એટલું જ મજબૂત રહ્યું છે.

શહેર અને ઉપરી સ્તરેથી પ્રોટેક્શન આપનારા વહીવટદાર ઉપેન્દ્રસિંહ રાયજાદાને પૂછપરછ માટે બોલાવવામાં આવશે? શું તેમને પણ આ દેશવિરોધી અને આર્થિક ગુનાના કેસમાં સહ-આરોપી બનાવવામાં આવશે?

જો જુગારની કમાણીનો ઉપયોગ નાર્કોટિક્સ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થતો હતો, તો રાયજાદા અને કલ્યાણસિંહ જેવા વહીવટદારો માત્ર લાંચ લેવા પૂરતા સીમિત નહોતા. તેઓ અજાણતા કે જાણીજોઈને દેશવિરોધી તાકાતોના ભાગીદાર બની રહ્યા હતા? તો પછી તેમના પર તે મુજબ કાર્યવાહી થશે?

ક્લબના જાણકારોના જણાવ્યા મુજબ, જો SMC ખરેખર આ અડ્ડાનું મૂળિયામાંથી નિકંદન કાઢવા માંગતી હોય, તો ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ જેવા વહીવટદારોનો કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) કાઢે, તેમજ તેમના ડિજિટલ ફૂટપ્રિન્ટનું મેપિંગ કરે, તો ઘણું બધું જાણવા મળી શકે છે.

આ પણ વાંચો – ચંડોળા હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, બે આરોપીઓને 20 અને 14 વર્ષની સખત કેદ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ચંડોળા હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, બે આરોપીઓને 20 અને 14 વર્ષની સખત કેદ
Next: મનપસંદ માત્ર ઝાંખી! ઉપેન્દ્ર રાયજાદાએ બુટલેગરોના હવાલે કર્યું અમદાવાદનું ગૌરવ

Related News

BABA - 2026-08-22T175617.380

જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T160705.142

પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T155018.968

ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
  • મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.